જૂનાગઢ 20 જૂન (હિ.સ.) શહેરમાં જ્ઞાન રોડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ શહેરમાં 22 જૂનના એક દિવસીય આરોગ્ય અને આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમા 22 જૂને અશોક નગર હોલ બસ સ્ટેન્ડની સામે સવારે 9:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ સાથે યોજાશે. આ કાર્યક્રમમાં કુદરતી ખોરાક માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય કેવી રીતે મેળવવું તે જ્ઞાનયોગ ગુરુ કે ડી પટેલ દ્વારા, માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આ શિબિરમાં માં ફક્ત 50 લોકોને પ્રવેશ આપવામાં આવશે ભાગ લેવાઈ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ