પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા માટે 18થી વધુ સૂચનો રજૂ કરવામાં આવ્યા
પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણમાં 27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈ તૈયારીઓ આરંભાઈ ગઈ છે. રવિવારે જગન્નાથ મંદિરના સત્સંગ હોલમાં શહેરની વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રથયાત્રા માટે 18થી વધુ સૂચનો રજૂ કરવ
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા માટે 18થી વધુ સૂચનો રજૂ કરવામાં આવ્યા


પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણમાં 27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈ તૈયારીઓ આરંભાઈ ગઈ છે. રવિવારે જગન્નાથ મંદિરના સત્સંગ હોલમાં શહેરની વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રથયાત્રા માટે 18થી વધુ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યુ હતું કે છેલ્લા દસ વર્ષથી તંત્ર દ્વારા રજૂ થતાં સૂચનોનું યોગ્ય પાલન થતું નથી. તેમનું કહેવું હતું કે દર વર્ષે રથયાત્રા સમયસર શરૂ થાય છે, પણ પોલીસ તરફથી યાત્રા દરમિયાન ઝાંખીઓને ડાયવર્ટ કરવાથી યાત્રામાં વિઘ્ન આવે છે. આ વર્ષે સમિતિએ જિલ્લા કલેક્ટરને લેખિત રૂપે તમામ સૂચનો આપ્યા છે.

સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર પૂરતો સહયોગ નહીં આપે તો આયોજકો ભૂખ હડતાલ પર ઉતરશે અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. બેઠકમાં પિયુષભાઈ આચાર્ય, બેબાભાઈ શેઠ, કિશોરભાઈ મહેશ્વરી તેમજ મંદિર ટ્રસ્ટી અને એનજીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ યાત્રાને સફળ બનાવવા સહયોગ આપવાની ખાતરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande