ગુવાહાટી, નવી દિલ્હી,26 જૂન (હિ.સ.)
કામાખ્યા ધામમાં 22 જૂને પ્રવૃતિની
સાથે શરૂ થયેલો અંબુબાસી મહાયોગ, આજે સવારે નિવૃત્તિ સાથે સમાપ્ત થયો. અંબુબાસી
મહાયોગને કારણે, 22 જૂનથી બંધ રહેલા
મંદિરના દરવાજા આજે સવારે દેવીના સ્નાન અને વિધિ સાથે પૂજા કર્યા બાદ ભક્તો માટે
ખોલવામાં આવ્યા હતા. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો માતાના
દર્શન માટે ઉમટી પડ્યા હતા. માતાના દર્શન માટે, ભક્તો ગઈ રાતથી જ કતારમાં ઉભા હતા.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો અને
કામાખ્યા ધામ પહોંચેલા લોકોને શુભેચ્છાઓ પાઠવી.
નિવૃત્તિના દિવસે, મંદિર પરિસર અને દેવીને સવારે 4 વાગ્યે ખાસ પૂજા
સાથે ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. સંપૂર્ણ આરામ પછી, માતા કામાખ્યાની
મૂર્તિને તેજસ્વી નવા કપડાં અને ફૂલોથી શણગારવામાં આવી હતી. મંદિર ખુલતા જ
દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે કતારમાં ઉભા છે. આ વખતે અંબુબાસી મેળા
દરમિયાન, કામાખ્યા પર્વત
અને તેની આસપાસના વિસ્તારો સાથે સમગ્ર ગુવાહાટી શહેર ધાર્મિક નગરીમાં પરિવર્તિત
થયું હતું. મેળામાં દર્શન ઉપરાંત, પૂજા, સંતો દ્વારા ધાર્મિક પ્રવચન, પવિત્ર સ્નાન અને વિવિધ લોક સંસ્કૃતિઓનું
પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે, અંબુબાસી દરમિયાન, માં કામાખ્યા
માસિક ધર્મમાં આવે છે. આવી સ્થિતિમાં, કામાખ્યા સહિત રાજ્યના તમામ મંદિરોના દરવાજા અંબુબાસી
મહાયોગના અંત સુધી સંપૂર્ણપણે બંધ રહે છે. મંદિરોમાં પણ પૂજા કરવામાં આવતી નથી.
મહાયોગના અંત સાથે, મંદિરોમાં પૂજા
શરૂ થઈ ગઈ છે. અંબુબાસી મહાયોગ મુખ્યત્વે તંત્ર સાધકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ
માનવામાં આવે છે. અંબુબાસી મેળામાં હાજરી આપવા આવેલા ભક્તો આજે સવારથી માતા રાણીના
દર્શન કર્યા પછી પોતાના ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. ભારતના વિવિધ ભાગો
તેમજ બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન વગેરે
પડોશી દેશોથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચે છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ