ઉધમપુર, નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ગુરુવારે સવારે જમ્મુ વિભાગના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થ્દામાન ચાલી રહી છે. બંને તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ ગતિવિધિ અંગે ખાસ માહિતી મળ્યા બાદ કડક ઘેરાબંધી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શોધખોળ દરમિયાન સુરક્ષા દળો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલમાં બંને તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને વધારાના દળો મોકલવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ