ઉત્તરાખંડ: ટેમ્પો ટ્રાવેલર અલકનંદામાં પડી ગયું, બે લોકોના મોત, ઘણા ગુમ
દેહરાદૂન, નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ગુરુવારે સવારે રુદ્રપ્રયાગના ઘોલતીર વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી ગયું. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે આઠ ઘાયલોને બચાવ બાદ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્મ
ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ


દેહરાદૂન, નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ગુરુવારે સવારે રુદ્રપ્રયાગના ઘોલતીર વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી ગયું. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે આઠ ઘાયલોને બચાવ બાદ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં 10 મુસાફરો ગુમ થયાના અહેવાલ છે, તેમની શોધ માટે બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન રાજવારે જણાવ્યું હતું કે, ટેમ્પો ટ્રાવેલર બદ્રીનાથ તરફ જઈ રહ્યું હતું, જે ઘોલતીર વિસ્તારમાં નિયંત્રણ બહાર ગયું અને અલકનંદા નદીમાં પડી ગયું. બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે. એસડીઆરએફ, પોલીસ દળ અને સ્થાનિક વહીવટી ટીમો ઘટનાસ્થળે રાહત કાર્યમાં રોકાયેલી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, રુદ્રપ્રયાગ જિલ્લામાં એક ટેમ્પો ટ્રાવેલરના નદીમાં પડી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. એસડીઆરએફ અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું ભગવાનને દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું.

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande