શાળા પ્રવેશ: જયાં ભૂલકાંઓને મળ્યા મંત્રીના આશીર્વાદ અને પાઠ્યપુસ્તકનો વારસો
પાટણ, 28 જૂન (હિ.સ.) : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2025 ના અવસરે સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શાળા પ્રવેશ કરાવીને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપી પ્રોત્
શાળા પ્રવેશ: જયાં ભૂલકાંઓને મળ્યો મંત્રીશ્રીના આશીર્વાદ અને પાઠ્યપુસ્તકનો વારસો


શાળા પ્રવેશ: જયાં ભૂલકાંઓને મળ્યો મંત્રીશ્રીના આશીર્વાદ અને પાઠ્યપુસ્તકનો વારસો


પાટણ, 28 જૂન (હિ.સ.) : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2025 ના અવસરે સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે શાળા પ્રવેશ કરાવીને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા. તેમજ 72 લાખના ખર્ચે બનેલી નવી અધ્યતન શાળાનું લોકાર્પણ કર્યું. સાથેજ શાળાની મુલાકાત લઈ અને સ્ટાફ સાથે મીટીંગ કરી તેમજ વૃક્ષારોપણ કર્યું.

'શાળા પ્રવેશોત્સવ' તથા 'કન્યા કેળવણી મહોત્સવ' દ્વારા 'શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત' નો ધ્યેય સાર્થક થતાંની સાથે મહિલા સશક્તિકરણને બળ મળ્યું છે.

આ પ્રસંગે નંદાજી ઠાકોર, પ્રાંત અધિકારી, નરેન્દ્રસિંહ ચાવડા, શંભુભાઈ દેસાઈ, અભુજી ઠાકોર, જશુભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, કનુજી ઠાકોર, ગુલામભાઈ (સરપંચશ્રી), હુસેનભાઇ, મુરાદભાઈ, ગુલાબસિંહ રાજપુત, પ્રવીણભાઈ, શિક્ષકો, સ્ટાફ મિત્રો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande