સારસવા ગામ ખાતે “વ્યસન મુક્ત ઘર”ની, આવકારદાયક પહેલ વ્યસનની કૂટેવથી દૂર રહેલા તમામ ઘરોને ‘વ્યસન મુક્ત ઘર’ની નેમપ્લેટ અપાઈ
ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) જિલ્લાના ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય તેમજ એપેડેમિક મેડીકલ ઓફિસર ડૉ.ડી.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે વેરાવળ તાલુકાના સારસવા ગામ ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તેમ
તમાકુ નિષેધ દિવસની ઉજવણી


ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) જિલ્લાના ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય તેમજ એપેડેમિક મેડીકલ ઓફિસર ડૉ.ડી.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે વેરાવળ તાલુકાના સારસવા ગામ ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તેમજ ઈન્ડિયન રેયોન- જનસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાત્રીસભા યોજાઈ હતી.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રાત્રીસભામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોને તમાકુ વિરોધી વીડિયો, તમાકુ થી થતા નુકસાન, તમાકુ છોડવા માટેના ઉપાય, તમાકુ વિરોધી કાયદાની માહિતી આપવામાં આવી હતી. તેમજ ગામમાં વ્યસનનું પ્રમાણ વધુ હોવાના કારણે સારસવા ગામ ખાતે “વ્યસનમુક્તઘર” ની નવી પહેલ શરુ કરવામાં આવી હતી.

આ પહેલ અંતર્ગત વ્યસન મુક્ત તમામ ઘરોને ‘વ્યસન મુક્ત ઘર’ની નેમપ્લેટ આપી ઘરની બહાર મુખ્ય સ્થાન પર રાખી અન્યને પણ પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બને તેવું જણાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેયોન-જનસેવા ટ્રસ્ટ દ્વારા તમામ ઘરોને બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

આ જ રીતે ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામો આવી જ રીતે વ્યસનમુક્ત બને તેવી ઝુંબેશમાં સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. નાગરિકોમાં તમાકુ વિરોધી જાગૃતિ લાવીને સ્વસ્થ, તમાકુ-મુક્તભવિષ્ય બનાવી વ્યસનમુક્ત સમાજની રચના કરવાનો સંદેશ અપાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના સોશ્યલ વર્કર દિપ્તીબેન વ્યાસ સહિતના કર્મચારીઓ, ઈન્ડિયન રેયોન-જનસેવાટ્રસ્ટના પ્રતિનિધિઓ અપૂર્વ ત્રિવેદી, અમિતભાઈ તન્ના, ભગવાનભાઈ, સરપંચ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી એ.ડી.એમ.ઓ સીમાબેન ખીમાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande