આમ આદમી પાર્ટીએ શહીદોના નામે, રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ - ચુઘ
નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ઓપરેશન સિંદૂર પર આપેલા વાંધાજનક નિવેદનને કદરૂપું, અભદ્ર અને શરમજનક ગણાવ્યું છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા ચ
આમ આદમી પાર્ટીએ શહીદોના નામે, રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ - ચુઘ


નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ

ચુઘે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ઓપરેશન સિંદૂર પર આપેલા વાંધાજનક

નિવેદનને કદરૂપું, અભદ્ર અને શરમજનક

ગણાવ્યું છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા ચુઘે કહ્યું કે,” આમ આદમી પાર્ટીનું

નિવેદન મહિલાઓના ગૌરવનું ઘોર અપમાન છે, અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોની

વિધવાઓના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે.”

ચુઘે કહ્યું કે,” ઓપરેશન સિંદૂર આપણા બહાદુર સૈનિકોની

બહાદુરીની ગાથા છે. જ્યારે આખો દેશ, તેના બહાદુર સૈનિકો સાથે ઉભો છે, ત્યારે ભગવંત માન

જેવા નેતાઓ બહાદુર સૈનિકોના બલિદાન અને હિંમતની મજાક ઉડાવી રહ્યા છે. આ તેમની

ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે.”

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ચુઘે કહ્યું કે,” આ તે

પાર્ટી છે જેના દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને, તેની જ પાર્ટીની એક મહિલા સાંસદને, માર

મારવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે. તે ગુનેગાર કેજરીવાલનો સૌથી

નજીકનો મિત્ર હતો અને પાર્ટીએ તેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. એટલું જ

નહીં, હવે તે જ મહિલા

સાંસદ પર હુમલો કરનાર ગુનેગારને, પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ અધિકારી

તરીકે મોકલવામાં આવ્યો છે.આ આપદા પૂર્તિના નારી સન્માનનો અસલી ચહેરો છે.”

ચુઘે કહ્યું કે,” જ્યારે આપદા પાર્ટીના મહિલા મોરચાના

પ્રમુખ પ્રીતિ મલ્હોત્રાએ પાર્ટીની અંદર ચાલી રહેલા આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો

ત્યારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. આમ આદમી પાર્ટી બલિદાનની મજાક

ઉડાવે છે, મહિલાઓને

ધિક્કારે છે અને ગુનેગારોને પુરસ્કાર આપે છે. પંજાબની દીકરીઓ અને માતાઓ આ પાર્ટીને

ક્યારેય માફ નહીં કરે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande