ફૂલ-છોડના કૂંડા-કાપડની થેલીનું વિતરણ કરી નાગરિકોને પર્યાવરણ જતનનો સંદેશો અપાયો ઈન્ડિયન રેયોન અને વેરાવળ નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે વિતરણ
ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરીને પર્યાવરણ બચાવવામાં પ્રત્યેક માનવ સહભાગી થાય એ જરૂરી છે. નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને ‘પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત કાપડની થેલીનો વપર
ફૂલછોડના કૂંડા અને કાપડની થેલીનું વિતરણ


ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરીને પર્યાવરણ બચાવવામાં પ્રત્યેક માનવ સહભાગી થાય એ જરૂરી છે. નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને ‘પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત કાપડની થેલીનો વપરાશ કરતા થાય એ હેતુસર ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ફૂલછોડના કૂંડા અને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીની ઉપસ્થિતિમાં ઈન્ડિયન રેયોન અને વેરાવળ નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે ફૂલ-છોડના કૂંડા તેમજ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીને નાગરિકો પર્યાવરણના જતનમાં સહભાગી બને એવા ઉદ્દેશ્ય સાથે ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીખના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન રેયોન જનસેવા ટ્ર્સ્ટ તરફથી નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશેની લોકોમાં જાગૃતિ કેળવાય તેવા હેતુસર આ વિતરણ કાર્યક્રમમાં પ્લાસ્ટિકના ઉપયોગના ગેરફાયદા અંગે સમજ આપવામાં આવી હતી.

આ વિતરણમાં ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી કૃષ્ણગોપાલ ગનેરીવાલ, અગ્રણી જયદેવ જાની, નગરપાલિકાના ચંદ્રિકાબહેન સિકોતરિયા, દિગંત દવે સહિત કર્મચારીઓ અને લાયઝનિંગ, હોર્ટીકલ્ચર અને એન્વાયર્નમેન્ટ ટીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande