વલસાડના પારનેરા ડુંગર પર આયુર્વેદ શાખા દ્વારા 100 દિવસ યોગ કાર્યક્રમ અંતર્ગત હરિત યોગની ઉજવણી
વલસાડ, 5 જૂન (હિ.સ.)- રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ગાંધીનગર નિયામક આયુષની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની સાથે 100 દિવસ યોગ કાર્યક્રમ અંતર્ગત હરિત યોગની પણ ઉજવણી કરવામા
Valsad


વલસાડ, 5 જૂન (હિ.સ.)- રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ગાંધીનગર નિયામક આયુષની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની સાથે 100 દિવસ યોગ કાર્યક્રમ અંતર્ગત હરિત યોગની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ દ્વારા શરીરને સ્વસ્થ રાખવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસર, સેવક તથા યોગ ઇન્સ્ટ્રક્ટરના સહયોગથી પર્યાવરણની જાળવણી અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુસર પારનેરા ડુંગર ખાતે ટ્રેકિંગ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રકારના યોગને લગતા કાર્યક્રમો કરી ધાર્મિક સ્થાને દર્શનાર્થે આવનાર જાહેર જનતાને યોગથી થતા લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ એ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જે શરીર, મન અને આત્માને સુસંગત કરવાનો માર્ગ આપે છે. યોગ અને યોગાસન બંને અલગ છે એવું પણ કહી શકાય કે, યોગાસન એ યોગનો જ એક ભાગ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. યોગ શારીરિક માનસિક બૌદ્ધિક તથા સામાજિક દરેક સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે જ્યારે લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર્સ તેમજ માનસિક રોગો વધી રહ્યા છે ત્યારે યોગ એ આપણા જીવનને સુખી અને સંતુલિત બનાવવામાં અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. આ ઉમદા હેતુસર લોકોમાં જનજાગૃતિ માટે યોગના વિવિધ કાર્યક્રમો વલસાડ જિલ્લાના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાખાનાઓમાં કરવામાં આવી રહ્યા છે જેનો સર્વેને લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવાયુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande