આતંકવાદી ભંડોળ અને ષડયંત્રના કેસમાં, એનઆઈએ એ કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા
શ્રીનગર, નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગુરુવારે સવારે આતંકવાદી ભંડોળ અને ષડયંત્રના કેસમાં કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. હાલમાં દરોડા ચાલુ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની મદદથી એનઆઈએ ની એક ટીમે દક્ષ
એનઆઈએ ના દરોડા


શ્રીનગર, નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગુરુવારે સવારે આતંકવાદી ભંડોળ અને ષડયંત્રના કેસમાં કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. હાલમાં દરોડા ચાલુ છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની મદદથી એનઆઈએ ની એક ટીમે દક્ષિણ કાશ્મીરમાં શોપિયામાં રેબન, નીલદુરા અને ચેક-એ-ચોલેંડ, કુલગામમાં મંજગામ, દેવસર, સોનીગામ અને બુગામ અને પુલવામાના વિસ્તારો સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેવી જ રીતે, ઉત્તર કાશ્મીરના સોપોર અને કુપવાડામાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં, કોઈ ધરપકડ કે રિકવરી અંગે કોઈ માહિતી નથી. દરોડા ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande