રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની શાનદાર ઉજવણી
વલસાડ, 5 જૂન (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભે
Valsad


વલસાડ, 5 જૂન (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યુ છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવી સોલાર પોલીસી પણ અમલમાં મુકી હતી. જેના લીધે વિશ્વભરમાં જાગૃતિ આવી છે. સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને લીધે પર્યાવરણને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. વર્ષ 2070 સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન ઉત્સર્જન માટે નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ વીજળી રીન્યુએબલ એનર્જીથી પેદા કરવામાં આવશે, તેમાં પણ આપણા ગુજરાતે 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરવાનું આયોજન કરી આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. મિશન લાઈફ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણુ જીવન સેલ્ફ ડિસીપ્લીનવાળુ હોવું જોઈએ. જેમાં દિવસ દરમિયાનની જીવનચર્યામાં આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશુ તો આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશું. ક્લાઈમેટ ચેન્જના કારણે મે માસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે વૃક્ષારોપણ શ્રેષ્ઠ વિકલ્પ છે. જે માટેના પ્રયત્નમાં આપણે સફળ થઈશું.

મંત્રીએ વાપી મનપા કમિશ્નર યોગેશ ચૌધરી અને વાપી મનપાના શાસકોને અભિનંદન પાઠવી વધુમાં જણાવ્યુ કે, વાપી મનપા દ્વારા એસટીપી પ્લાન્ટ કાર્યરત છે, ડ્રેનેજ લાઈન અને સ્વચ્છ પાણીના પ્રોજેક્ટની કામગીરી રાજ્યની અન્ય નગરપાલિકાઓ કરતા સારી થઈ રહી છે. આજના દિવસે આપણે સૌ સાથે મળી વિકાસના કામોમાં સહભાગી થઈએ એવુ આહવાન કરૂ છું.

વાપી મનપા કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મુકવાની સૌ પ્રથમ શરૂઆત વાપી મનપાએ પોતાનાથી જ કરી છે. મનપાના કર્મચારીઓ અત્યાર સુધી પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીતા હતા તેઓને પ્લાસ્ટીકની બોટલના જોખમ અંગે સમજાવી તેનો ઉપયોગ કરવા ના પાડી છે અને તમામને સ્ટીલની બોટલ આપવામાં આવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખૂબ જ ખતરનાક છે. લોકોએ સ્વૈચ્છાએ આગળ આવી બજારમાં ખરીદી કરવા જાય ત્યારે પોતાના ઘરેથી જ કાપડની થેલી લઈને નીકળે તો આપમેળે જ સિંગલ યુઝ પ્લાસ્ટીક બંધ થઈ જશે. વાપીને લીલુછમ હરિયાળુ બનાવવા માટે આ વર્ષે 50 હજાર રોપા લગાવવાનો ટાર્ગેટ છે. જાહેર સ્થળો અને બગીચાઓમાં આ રોપા રોપાશે. જો કોઈ સોસાયટીને રોપા જોઈશે તો તેઓને પણ મનપા દ્વારા આપવામાં આવશે. વેલસ્પન કંપનીના સહયોગથી 10 હજાર કાપડની થેલી આપવામાં આવી છે. પહેલાનો સમય સત્યાગ્રહનો હતો પરંતુ અત્યારનો સમય સ્વચ્છતાગ્રહીનો છે. પર્યાવરણની વધતી જતી સમસ્યાને અટકાવવા માટે વિદ્યાર્થીઓ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ બની રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પણ ખાસ અપીલ કરવાની કે, ઘરે તમારા માતા પિતા અને વડીલોને પણ ભવિષ્ય માટે જાગૃત કરવા જોઈએ. આજે શપથ લઈશું કે, પર્યાવરણની સુરક્ષા દ્વારા આપણા ભવિષ્યને બચાવવા માટે કામ કરીશુ.

મંત્રીના હસ્તે વાપીના લખમદેવ તળાવ અને ચલાના અટલ બિહારી વાજપેયી જન ઉદ્યાનનું રિડેવલપમેન્ટ વાપીની મેરીલ કંપની દ્વારા સી.એસ.આર. ફંડમાંથી કરવામાં આવનાર હોવાથી મંત્રીના હસ્તે ડિજિટલ અનાવરણ કરવામાં આવ્યુ હતું. મંત્રીશ્રીના હસ્તે સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાપી મનપાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, અશ્વિન પાઠક, મેરીલ કંપનીના ડાયરેકટર નાનુભાઈ બાંભરોલીયા, વેલસ્પન કંપનીના પ્લાન હેડ નિરજ આર્યા અને વાપી શહેર સંગઠનના પ્રમુખ મનિષ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ ઠક્કર અને નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande