જુનાગઢ, 3 જુલાઈ (હિ.સ.) રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા આગામી મોહરમ તાજીયાના તેહવાર અનુસંધાને ફલેગમાચૅ યોજી જરૂરી તકેદારીના પગલા લેવા સુચના આપેલ.
જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ આર.આર.રાયજાદા તથા કે.એન.મુછાળ તથા જી.એન. કાછડ તથા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ.એન.એ.વાધેલા તથા સ્ટાફ તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના સ્ટાફ દ્રારા વેરાવળ શહેરમા મુખ્યમાગૅો પર આગામી મોહરમ/તાજીયા તેહવાર અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે સુનિશ્વિત કરવા ફલેગમાચૅનુ આયોજન કરવામા આવેલ અને આગામી તેહવાર સબબ તકેદારી રાખવા સ્ટાફને બ્રીફ કરવામા આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ