જૂનાગઢ તા.૨૭ ઓગસ્ટના રોજ રહેઠાણ નું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
જુનાગઢ, 27 ઓગસ્ટ (હિ.સ.) સરકાર દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫ થી તા.૩૦/૮/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે. આ કામગ
જૂનાગઢ તા.૨૭ ઓગસ્ટના રોજ રહેઠાણ નું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે


જુનાગઢ, 27 ઓગસ્ટ (હિ.સ.) સરકાર દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫ થી તા.૩૦/૮/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે.

આ કામગીરીના ભારણ અને લોકોની સુવિધા સચવાય એ માટે માત્ર ઉકત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર અરજી રજૂ કરવા તા.૨૭/૮/૨૦૨૫ના રોજ સમય સવારે ૧૧ કલાક થી ૧૪ કલાક સુધી જાહેર રજાના દિવસ દરમિયાન મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ચાલુ રહેશે. એમ જૂનાગઢ મામલતદારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande