સિદ્ધપુર બિંદુ સરોવરમાં ડોશી નોમે 7 હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ કર્યું
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવે છે સોમવારે ભાદરવા વદ નોમને લઈને સવારથી જ યાત્રાળુઓનો પ્રવાહ બિંદુ સરોવર તરફ રહ્યો હતો. મોડી સાંજ સુધી તર્પણવિધી કરાવી હતી. જેમાં અંદાજિત 7000થી વધુ પરિવારોએ માતૃશ્ર
સિદ્ધપુર બિંદુ સરોવરમાં ડોશી નોમે 7 હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ કર્યું


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવે છે સોમવારે ભાદરવા વદ નોમને લઈને સવારથી જ યાત્રાળુઓનો પ્રવાહ બિંદુ સરોવર તરફ રહ્યો હતો. મોડી સાંજ સુધી તર્પણવિધી કરાવી હતી. જેમાં અંદાજિત 7000થી વધુ પરિવારોએ માતૃશ્રાદ્ધ વિધિ કરાવી માતા બહેનોને મોક્ષ પ્રાપ્તિ અપાવી માતૃરૂણમાંથી મુક્તિ મેળવી હતી.

ભાદરવા વદ નોમના દિવસે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી માતૃતર્પણ કરવા માટે કપિલ આશ્રમ ખાતે 7000થી વધુ પરિવારોએ પિંડદાન કરી માતૃઋણ અદા કર્યું હતું. જેમાં હિંદુ ધર્મશાસ્ત્રમાં પિતૃશ્રાદ્ધ માટે બિહારમાં ગયાજી પ્રખ્યાત છે તેજ પ્રમાણે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર બિંદુ સરોવર પ્રખ્યાત છે.ભાદરવા વદ નોમ ડોશી નોમના દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓનું શ્રાધ કરવા માટે અતિ મહત્વનો દિવસ ગણાય છે ત્યારે સોમવારે વહેલી સવારથી જ સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી માતૃતર્પણ કરાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં બ્રાહ્મણો દ્વારા માતૃશ્રાદ્ધ શા માટે કરવું જોઈએ જેની શબ્દસર જાણ આપી વેદોકત મંત્રોચ્ચાર સાથે પિંડદાન કરાવી માતૃતર્પણ વિધિ કરાવે છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 2000 પરિવારો, કેરળ અને કર્ણાટકમાંથી 1700 પરિવારો જ્યારે ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાંથી 2200 પરિવારો દ્વારા આ તિર્થભૂમિમાં માતૃતર્પણ કરી માતૃઋણમાંથી મુક્ત થવાનો આત્મસંતોષ પ્રાપ્ત કર્યો હતો. આ તિર્થભૂમિમાં ગૌર મંડળ દ્વારા આવનાર યાત્રિકના 7 પેઢીના નામો બત્તાવે છે. આવેલા યજમાનના કુળનું નામ ચોપડામાંથી નીકળે છે. બ્રાહ્મણ માતૃશ્રાદ્ધની વિધી કરાવી શકે છે.

આ તિર્થભૂમિમાં અનેક સંતો આવી માતૃશ્રાદ્ધ કરાવી માતૃઋણ માંથી મુક્ત થાય છે. આ તિર્થભૂમિમાં ભગવાન કપિલ તેમજ પરશુરામે માતૃશ્રાદ્ધ કરાવી માતૃઋણમાંથી મુક્ત થયા હતા તેથી ભારતમાં માતૃતીર્થ તરીકે પ્રખ્યાત થયું છે. સોમવારે બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ વિધી માટે આવેલ 250થી વધુ શ્રદ્ધાળુઓને કરદમ શાસ્ત્રી, જયનારાયણ શાસ્ત્રી તેમજ કિરણભાઈ શાસ્ત્રી દ્વારા સમૂહમા શ્રાદ્ધ વિધી કરાવી હતી. જેમાં મહારાષ્ટ્રથી આવેલ અરવિંદ ઘોષ જણાવ્યું હતું કે, આ સ્થળ મોક્ષદાયક છે. શ્રાદ્ધમાં જે કોઈ અહીં આવે છે, તેને 100 ટકા ફળ મળે છે. અને શાંતિ પ્રાપ્ત થાય છે. પિંડદાન કરવાથી 7 પેઢીઓના પિતૃઓનો મોક્ષ થાય છે. બિંદુ સરોવરનું વાતાવસ્યા પવિત્ર અને આત્મીય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande