ખનીજ ચોરો પર વહીવટી તંત્રની લાલ આંખ, તાલાલા-વેરાવળમાંથી રૂ. ૫.૧૨ લાખની ખનીજ ચોરી પકડાઈ
ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તથા તાલાલા તાલુકામાં ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન કુલ ૦૪ વાહનોને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત ક
ખનીજ ચોરો પર વહીવટી તંત્રની લાલ આંખ


ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તથા તાલાલા તાલુકામાં ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ તપાસ દરમિયાન કુલ ૦૪ વાહનોને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી કુલ ૦૨ વાહનનો રૂ.૦.૯૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ જ રીતે અન્ય ૦૨ વાહનની નિયમ અનુસાર ૪.૫૨ લાખની દંડની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, કુલ રૂ. ૫.૧૨ લાખની ખનીજ ચોરી પકડવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande