જીએસટી કાયદામાં સુધારા વ્યવસાય અને ગ્રાહકો માટે, એક મોટું વરદાન છે: પીયૂષ ગોયલ
મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે મુંબઈમાં જણાવ્યું હતું કે,” જીએસટી કાયદામાં સુધારા વ્યવસાય અને ગ્રાહકો માટે એક મોટું વરદાન છે.” તેમણે કહ્યું કે,” દેશભરના ઉદ્યોગો, ઉત્પાદકો અને
ગોયલ


મુંબઈ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર

(હિ.સ.) કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે મુંબઈમાં જણાવ્યું હતું કે,” જીએસટી

કાયદામાં સુધારા વ્યવસાય અને ગ્રાહકો માટે એક મોટું વરદાન છે.” તેમણે કહ્યું કે,”

દેશભરના ઉદ્યોગો, ઉત્પાદકો અને

છૂટક વેપારીઓને નવા જીએસટી માળખાથી ઘણો ફાયદો થશે.” તેમણે કહ્યું કે,” આ સુધારાને

કારણે, ઘણી ઉત્પાદન

શ્રેણીઓ પર કર દર ઘટીને 5 ટકા થઈ ગયા છે.”

ગોયલે ઉદ્યોગને આ લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવા વિનંતી

કરી, જે વ્યાપક વપરાશ

અને મજબૂત માંગને સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે શરૂઆતમાં તે તમારા નફા પર

મોટી અસર ન પણ બતાવી શકે,

પરંતુ માંગ અને

વેચાણમાં મોટો વધારો દરેક માટે 'જીત-જીત' પરિસ્થિતિ ઊભી કરશે. ઓછી કિંમતોનો અર્થ વધુ વપરાશ અને વધુ

વ્યવસાયિક તકો છે.

વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ગોયલે યાદ અપાવ્યું

કે,” 15 ઓગસ્ટે વડાપ્રધાને

જીએસટી સુધારાઓની

જાહેરાત કરી હતી.”

તેમણે કહ્યું કે,” આ વખતે માલ અને સેવાઓ પર આપવામાં આવેલી

રાહતનો અવકાશ અપેક્ષા કરતાં ઘણો વધારે છે. કરવેરા ઉપરાંત, સરકારે લાંબા

ગાળાના વિઝન પર ભાર મૂક્યો,

જેમાં 2047 સુધીમાં ભારતના જીડીપીને

4 ટ્રિલિયન ડોલરથી

30 ટ્રિલિયન ડોલર સુધી

લઈ જવાનો લક્ષ્યાંક હતો. આ યાત્રા નિર્ણાયક નેતૃત્વ અને સામૂહિક પ્રયાસોના બળ પર

અમૃત કાળમાં પૂર્ણ થશે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande