
પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.વી.પરમારના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલ આરોપી વિષે બાતમી મળતા પોલીસે મુસ્તુફા યુસુફ સેતાની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપી આપ્યો હતો. આ કામગીરીમાં કીર્તિમંદિર પો.સ્ટે.ના પી.આઈ. કે.વી.પરમાર, PSI એમ.પી. મોરી, ASI બી.એસ.ચાંડપા, UHC કે.એમ.શીંગરખીયા, UHC કે.પી. મોડેદરા, એપીસી જયભાઈ રમેશભાઈ, પીસી હોથીભાઈ અરજણભાઈ, WPC કીર્તિબેન ભરતભાઈ રોકાયેલ હતા.
પોરબંદર ના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સતત આવી કાર્યવાહી કરવામાં આવે છે, જે હમેશા જન હિતમાં હોય છે. કીર્તિ નગર પોલીસ સ્ટેશન ની આ કામગીરીથી આમ જનતા ખુશ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya