જે.એસ. પરમાર કોલેજ કોડીનારમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી
સોમનાથ,8 સપ્ટેમ્બર (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર જે.એસ. પરમાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કોડીનાર ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ વિશે વિદ્યાર્થીઓને સાક્ષરતાનું મહત્વ, શિક્ષણની જરૂરિયાત તથા ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્
જે.એસ. પરમાર કોલેજ કોડીનારમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી


સોમનાથ,8 સપ્ટેમ્બર (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર જે.એસ. પરમાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કોડીનાર ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ વિશે વિદ્યાર્થીઓને સાક્ષરતાનું મહત્વ, શિક્ષણની જરૂરિયાત તથા ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાક્ષરતા વ્યક્તિના સર્વાંગી વિકાસ તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું સમજાવવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને સમાજમાં શિક્ષણથી વંચિત લોકોમાં જાગૃતિ લાવવા તથા હું ભણીશ અને બીજાને પણ ભણાવીશ”નો સંકલ્પ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.“સાક્ષર સમાજ – સશક્ત સમાજ આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, પ્રિન્સિપાલ પ્રો. બી.એસ ઝણકાટ સાહેબ,પ્રો,ચી.યુ ગોહિલ,NSS કોર્ડીનેટર પ્રો. ડૉ હર્ષદ પટેલ, ઇનોવેશન કોર્ડીનેટર પ્રો. ડૉ પારસબેન ચૌધરી,પ્રો.ડૉ પી પી રાઠોડ,પ્રો.ડૉ માડમ સાહેબ તેમજ સ્ટાફઅને વિધાથીર્ઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande