જામનગરના ખડખંભાળિયામાં વીજ ચોરી કેસમાં કારખાનેદારને 3 વર્ષની જેલ સજા
જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફરનું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. સાથો સાથ પકડાયેલી રૂપિયા 1765447 ની વીજચોર
ચુકાદો પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 16 ઓક્ટોબર (હિ.સ.) જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફરનું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. સાથો સાથ પકડાયેલી રૂપિયા 1765447 ની વીજચોરીથી ત્રણ ગણો એટલે કે 52.96 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસના આરોપી વિપુલ કારાભાઈ તંબોલીયા ખડખંભાળિયા ગામે સલ્ફર ખાતર બનાવવાનું કારખાનું ચલાવે છે. જેમાં વીજપાવર કારખાનાની નજીકમાં આવેલ 63 કે.વી.એ. ટી.સી. પરના એલ.ટી. સ્ટુડ ઉપરથી વધારાના પ્રાઈવેટ કેબલ વાયરથી જોડાણ આપી બીજો છેડો વીજ મીટરના લોડ સાઈડ વાયરમાં જોડાણ આપી વીજ પાવર પુરવઠો મેળવી કારખાનામાં ખાતર બનાવવામાં વીજ વપરાશ કરતા વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા હતા. આથી તેને કુલ રૂપિયા ૧1765447ની વીજ ચોરી અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે બાબતે ઈલેકટ્રીક સીટી એકટની કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરાયો હતો. આ કેસ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફેની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા વીજ ચોરીના રકમની ત્રણ ગણી રકમનો દંડ એટલે કે 5296342 નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ સેશન્સ જજ એસ.એમ. ક્રીસ્ટી દ્વારા કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande