પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા અંગે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2203 ની કલમ-163 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) તથા કલમ-33(1)(યુ) અન્વયે જાહેરનામુ જાહેર કર્યુ છે.
જે અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના નિયત સમય દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રિના 10.00 થી સવારના 06.00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહી. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. કોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી.
હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પીટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકારો નહી કે વેચાણ કરી શકાશે નહી. ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી, લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી, અસ્માવતી રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી./બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ વળે ઉડાડી શકાશે નહી. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ ધ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના તા.23/10/2108ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ કટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.
સ્થાનિક કક્ષાએ સિનેમાગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ પ્રકારની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે. આ જાહેરનામું તા.11/10/2205 થી તા.06/11/2205 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya