મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસના દિવસે 151 યુગલો સમૂહમાં મહામંગળા આરતી કરશે.
પોરબંદર,17 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના 195 મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસની સવારે 151 યુગલો સમૂહમાં મહામંગળા આરતી કરશે. ડ્રીમલેન્ડ સિનેમા સામે આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે કે તા. 18-10 ધનતેરસના દિવસે શનિવારે સવાર
મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસના દિવસે 151 યુગલો સમૂહમાં મહામંગળા આરતી કરશે.


પોરબંદર,17 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના 195 મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસની સવારે 151 યુગલો સમૂહમાં મહામંગળા આરતી કરશે. ડ્રીમલેન્ડ સિનેમા સામે આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે કે તા. 18-10 ધનતેરસના દિવસે શનિવારે સવારે 7:30 કલાકે 151 યુગલો દ્વારા સમૂહમાં મહામંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નામ નોંધાવી પ્રવેશ . માટે યજમાન પાસ મેળવી લેવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. કોઇ ચાર્જ કે ફી નહી, કોઇ હીડન ચાર્જ નહીં. બધી જ વ્યવસ્થા શ્રીમહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ તરફથી થઇ છે. આ મહા આરતીમાં યુગલને જ પ્રવેશ આપવામાં આવશે. બહેનોએ સાડી પહેરવી ફરજીયાત છે. પુરૂષોએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, સવારે સાત વાગ્યા પહેલા પ્રવેશ મેળવી લેવો ત્યારબાદ નો-એન્ટ્રી રહેશે. આરતીની શરૂઆતમાં માઇકમાં માર્ગદર્શન અપાય તેનું પાલન ફરજીયાત કરવું. 7:15 કલાકે માર્ગદર્શન અને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ધનતેરસની સામૂહિક મહામંગળા આરતીના મહત્વ વિશે જાણકારી આપવામાં આવશે. 7:30 થી 8 મહામંગળા આરતી 40 વર્ષથી આરતીમાં શંખ, નગારા, ઘંટ વગાડતા સ્વયંસેવકો દ્વારા આરતીનું ભવ્યાતિભવ્ય સંગીતના સૂર વહેશે. 8 કલાકે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્ર પુષ્પાંજલિ અને આશીર્વચન આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande