પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.)આજે ધનતેરસના દિવસે પોરબંદરના મહા લક્ષ્મીજીના મંદિરે સામુહિક મંગળા આરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા 151 દંપતિ જોડયા હતા અને મહા લક્ષ્મીજીની આરતી કરી હતીદિપોત્સવીના પર્વમા મહા લક્ષ્મીજીની પુજા-અર્ચનાનુ ખાસ મહત્વ રહેલુ છે. આજે ધનતેરસના દિવસે મહા લક્ષ્મીજીની પુજા કરી અને શ્રધ્ધાળુઓ સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટેની પ્રાર્થના કરતા હોય છે .ત્યારે પોરબંદરમા 195 વર્ષ જુના મહા લક્ષ્મીજીના મંદિરે દિપોત્સવી પર્વને લઇ વિવિધ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. આજે ધનતેરસના દિવસે સવારના સમયે સામુહિક મંગળા આરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા 151 જેટલા દંપતિ જોડાયા હતા અને મહા લક્ષમીજીની આરતી કરી ધન્યતાની લાગણી અનુભવી હતીપોરબંદરના પૌરાણિક મહા લક્ષ્મીજી મંદિરના ટ્રસ્ટીએ એવુ જણાવ્યુ હતુ કે આમતો આ મંદિર પૌરાણિક છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અહિ ધનતેરસના દિવસે મહા લક્ષ્મીજીની મંગળા આરતીનુ આયોજન કરવામા આવે છે અને દંપતિ દ્રારા સામુહીક આરતી કરવામા આવે છે. આજે ધનતેરસના પવિત્ર દિવસે મહા લક્ષ્મીજીના મંદિરે સવારથી દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી માતાજીને કમળનુ પુષ્પ અર્પણ કરી અને સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya