નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.). ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો આજે ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે.
આ મુકાબલામાં શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. આ મુકાબલો ખાસ રહેશે કારણ કે લાંબા સમય પછી પહેલીવાર દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી મેદાનમાં ઉતરશે. બંને ખેલાડીઓ આ વર્ષે માર્ચમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા, અને તેમના શાનદાર પ્રદર્શનને કારણે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ