પોરબંદર જિલ્લામાં હથિયાર બંધી અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામું
પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37(1) અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પોલીસની કામગીરીમાં મદદ થાય તે માટે સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં તા.22
પોરબંદર જિલ્લામાં હથિયાર બંધી અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામું


પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37(1) અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પોલીસની કામગીરીમાં મદદ થાય તે માટે સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં તા.22/10/2025 થી તા.19/11/2205 સુધી બંને દિવસો સહિતની મુદત માટે હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

જે અનુસાર શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટ વાળા કોઈ પણ જાતના છરી કે છરી જેવું હથિયાર વળે નહી તેવું, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવી છરી સાથે રાખી ફરવાની અથવા તેવી કોઈ બીજી ચીજ લઈ જવી નહિ. કોઈપણ સ્ફોટક પદાયા લઈ જવા નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહી. એકઠા કરવા નહી, તથા તૈયાર કરવા નહી.

કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવા કે સળગાવવા નહી. જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેના ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાની સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવો નહિ.

આ હૂકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યકિત કે જેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યક્તિઓને હથિયાર લઈ જવાની બાબત માટે. પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાની ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટે લાગુ પડશે નહી.

આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના દરજજાના કોઈપણ પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

આ જાહેરનામાંના કોઈ ખંડનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 135 (1) મુજબ એક વર્ષની મુદત સુધીની શિક્ષા અને દંડને પાત્ર થશે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યક્તિને છ માસની સાદી કેદ અથવા રૂ.2,500/-સુધીના દંડ અથવા બન્ને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કરે કે બખેડો કરે તો તેવી વ્યક્તિને એક વર્ષની કેદ અથવા રૂ.5000/- પાંચ હજાર સુધીના દંડ સહિતની બન્ને શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande