

અમદાવાદ, 2 નવેમ્બર (હિ.સ.) આજે, 2 નવેમ્બર,ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ