


અંબાજી, 02 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારતના
મેળાઓમાં લોકોના મનોરંજન માટે વિવિધ ચગડોળ તેમજ અન્ય રાઇટ્સ લગાવાતીહોય છે ને
કેટલીક જગ્યાએ બનેલી ઘટનાઓમાં રાઇડ્સ તૂટી પડવાની પણ ઘટનાઓ બનવા પામી છે જેને લઇ
કેટલાક સ્થળોએ રાઇડ્સ ની પરમિશન આપવામાં આવી નથી ત્યારે હાલ તબક્કે શક્તિપીઠ
અંબાજી ધામમાં કોઈપણ જાતનો મેળો નથી તેમ છતાં અંબાજી ખાતે આવતા યાત્રીઓ માટે ચગડોળ
તેમજ અન્ય તોતિંગ રાઈટ્સ લગાવવામાં આવી રહી છે.
જોકે હાલ તબક્કે અંબાજી પંથકમાં સતત
ધીમીધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ તમામ રાઈટ્સોમાં વીજળીથી એટલે કે લાઈટ
ડેકોરેશન કરવામાં આવતું હોય છે તેમજ આ લાઈટ ડેકોરેશનને ચાલુ વરસાદના કારણે ક્યાંક
શોર્ટ સર્કિટ થવાનો પણ ભારે ભય લોકોમાં સતાવી રહ્યો છે અને અન્ય કોઈપણ જાતના
મેળામાં રાઈટ્સને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે અંબાજી ખાતે કોઈપણ જાતના મેળા વગર
સીઝન વગર ની રાઇડસ લગાવવામાં આવી રહી છે. માત્ર આ એક ખર્ચો નીકાળવા માટેનો પ્રયોગ
હોઈ શકે છે જોકે યાત્રા અંબાજી ખાતે ભરાતા ભાદર પુનમના મેળામાં લાખોની સંખ્યામાં
પદયાત્રી આવતી હોય છે તેવા સમયે અંબાજીમાં કોઈ પણ રાઈડસને પરમિશન આપવામાં આવતી નથી
ત્યારે હાલ તબક્કે વગર સીઝને વગર મેળાએ આ મંજૂરી લેવાઈ છે કે કેમ કે કેમ એ એક
પ્રશ્ન ચર્ચા ના એરણે જોવા મળી રહ્યો છે. જો અન્ય સ્થળે ભરાતા મેળાઓમાં આવી
રાઇડશો તૂટીને ભણતા મોટી ઘટનાઓ બનતી હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં કોઈ પણ મેળા
વગર આ મંજૂરી આપવા આવશે કે કેમ તે પણ પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે એટલું જ નહીં અંબાજી
ખાતે આવી ચગડોળજે સ્થળેલગાવવામાં આવી હતી ત્યાં આ સમય
તત્વોની તકરારો પણ થઈ હતીને ફરી આ જ સ્થળે ઝઘડો અને રાઈટસર લગાવવામાં આવી
રહી છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા માથાકૂટોને તકરારો થવાનો પણ ભય સેવાઈ રહ્યો
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ