


પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.)વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.મંત્રીએ દ્વારા જિલ્લાના નાગરિકોને સઘન મતદાર યાદી અંગે સમજૂત કર્યા હતા. અને સમય મર્યાદામાં પોતાની યોગ્ય માહિતી સાથે ચૂંટણી ફ્રોમ ભરીને તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.
મંત્રીએ પોરબંદર જિલ્લાના પોરબંદરના વિવિધ વિસ્તારો તેમજ બોખીરા, ભારવાડા,મોઢવાડા ગામની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya