માનવ અધિકારો, વ્યક્તિઓ અને સમાજ બંનેને સશક્ત બનાવે છે: સીપી રાધાકૃષ્ણન
નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.) માનવ અધિકાર દિવસ પર, રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને બુધવારે, ગૃહમાં માનવ અધિકારોના વૈશ્વિક વારસાને યાદ કર્યો, નોંધ્યું કે આ 1948 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવેલા માનવ
સદન


નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.) માનવ અધિકાર દિવસ પર, રાજ્યસભાના

અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને બુધવારે, ગૃહમાં માનવ અધિકારોના વૈશ્વિક વારસાને યાદ

કર્યો, નોંધ્યું કે આ 1948 માં સંયુક્ત

રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવેલા માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાના 77મા વર્ષ પછીનું

છે. આ ઐતિહાસિક દસ્તાવેજ સમગ્ર વિશ્વમાં ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયનો મૂળભૂત આધારસ્તંભ છે.

આ વર્ષની વૈશ્વિક થીમ, માનવ અધિકારો: આપણી રોજિંદી આવશ્યકતાઓ નો

ઉલ્લેખ કરતા અધ્યક્ષે કહ્યું કે,” આ દિવસ આપણને ત્રણ મહત્વપૂર્ણ રીતોની યાદ અપાવે

છે કે જેના દ્વારા માનવ અધિકારોને બધા માટે સકારાત્મક, આવશ્યક અને જરૂરી

બનાવી શકાય છે.” તેમણે કહ્યું કે,” માનવ અધિકારો વ્યક્તિઓ અને સમાજ બંનેને સશક્ત

બનાવે છે, નુકસાન અટકાવે છે

અને સમુદાયોને સુધારણા તરફ દોરી જાય છે.”

તેમણે કહ્યું કે,” દેશ હંમેશા સાર્વત્રિક

માનવ અધિકાર મૂલ્યોનો મજબૂત સમર્થક રહ્યો છે.” તેમણે કહ્યું કે,” જનપ્રતિનિધિ

તરીકે, એ સુનિશ્ચિત

કરવાની આપણી જવાબદારી છે કે, માનવ અધિકારો દરેક નાગરિક માટે - ખાસ કરીને સમાજના

નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે વાસ્તવિકતા બને.”

માનવ અધિકાર દિવસ પર, તેમણે આપણને માનવ અધિકારોને સકારાત્મક, જરૂરી અને બધા

માટે સુલભ બનાવવા, એક રાષ્ટ્ર અને

એક એવી દુનિયાનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ થવાનું આહ્વાન કર્યું જ્યાં દરેક

વ્યક્તિ ગૌરવ અને અધિકારો સાથે જીવી શકે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande