
- ઇન્ડિગોના સીઇઓએ ઉડ્ડયન કટોકટી વચ્ચે, કર્મચારીઓના ઉત્તમ
કાર્ય માટે પ્રશંસા કરી
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિગો ફ્લાઇટ્સમાં વ્યાપક વિક્ષેપો, મુસાફરોની
અસુવિધા અને ઉડ્ડયન ઇકોસિસ્ટમ પર પરિણામે દબાણ વચ્ચે, એર ઇન્ડિયાના
મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) એ તેમના સ્ટાફને ઇન્ડિગો મુસાફરોને મદદ કરવા વિનંતી કરી છે.
ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયાના સીઇઓ, કેમ્પબેલ વિલ્સને
સોમવારે કર્મચારીઓને એક આંતરિક સંદેશ લખ્યો, તેમના પ્રયત્નોની પ્રશંસા કરી અને મુસાફરો અને ઉદ્યોગના
સાથીદારોને મદદ કરવાનું ચાલુ રાખવા વિનંતી કરી. એરલાઇન કર્મચારીઓને લખેલી પોતાની
નોંધમાં, વિલ્સને કહ્યું, આ તમારામાંથી ઘણા
લોકો માટે ખૂબ જ વ્યસ્ત દિવસો રહ્યા છે. હું મુસાફરો અને સાથીદારોને ટેકો આપવા
માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો, તેના માટે મારી ઊંડી પ્રશંસા કરવા માંગુ
છું.
તેમના સંદેશમાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” આ મુશ્કેલ સમયમાં એર
ઇન્ડિયાના ક્રૂ અને ગ્રાઉન્ડ ટીમો આગળ આવી રહી છે, તેની અસંખ્ય વાર્તાઓથી તેઓ ખૂબ
જ પ્રભાવિત થયા છે. સીઇઓએ તેમના કર્મચારીઓને, એર ઇન્ડિયાના ગ્રાહકો સાથે, પરંતુ અન્ય
એરલાઇન્સના કામદારો સાથે પણ સારો વ્યવહાર કરવા વિનંતી કરી.” તેમણે આગળ લખ્યું, કૃપા કરીને અમારા
ઉદ્યોગ સાથીદારો પ્રત્યે પણ થોડી કરુણા દર્શાવો. સ્પર્ધકો હોય કે, સેવા ભાગીદારો, અમારા ગણવેશનો
રંગ ગમે તે હોય, આપણે બધા માણસો
છીએ, અને અમારું
સામાન્ય લક્ષ્ય મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ
કરવાનું છે.
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોના મુસાફરો છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર
મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ કટોકટી ચાલુ છે, જેમાં 400 થી વધુ
ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં એરલાઇન્સે 5,000 થી વધુ ફ્લાઇટ્સ
ગુમાવી છે. સરકારે પણ આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ