ઘેડમાં પાણીની સમસીયાના ઉકેલ માટે સંકલિત પ્રોજેકટ તૈયાર થશે
પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). ઘેડ પંથકમાં ભાદર-ઓઝત અને મધુવંતીના પાણી ફરી વળે છે . જેના કારણે આ વિસ્તારના ગામડાઓ બેટમાં ફેરવાય જાઈ છે અને દિવસો સુધી રસ્તાઓ બંધ રહે છે. જોકે આ પુરના ઘેડ માટે આર્શીવાદ સમાન છે. ત્યારે પાણીની સમસ્યાના ઉકેલ સરકાર દ્રારા
ઘેડમાં પાણીની સમસીયાના ઉકેલ માટે સંકલિત પ્રોજેકટ તૈયાર થશે


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). ઘેડ પંથકમાં ભાદર-ઓઝત અને મધુવંતીના પાણી ફરી વળે છે . જેના કારણે આ વિસ્તારના ગામડાઓ બેટમાં ફેરવાય જાઈ છે અને દિવસો સુધી રસ્તાઓ બંધ રહે છે. જોકે આ પુરના ઘેડ માટે આર્શીવાદ સમાન છે. ત્યારે પાણીની સમસ્યાના ઉકેલ સરકાર દ્રારા બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત-આઠ તાલુકામાં વિસ્તરેલ ઘેડ પંથક દરિયાની સપાટી સમકક્ષ અથવા નીચા લેવલ ઉપર હોવાના કારણે ત્યાં દર ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે.સરકારે ઘેડની આ સ્થિતીનો અભ્યાસ કરવા માટે ખાનગી કંપનીને કામ સોંપેલ છે, જેનો અહેવાલ જુલાઈ - 2025 માં આવશે. આ અભ્યાસના આધારે આખા ઘેડ પંથકનો એક સંકલીત પ્રોજેક્ટ બનાવી સમસ્યાઓના કાયમી ઉકેલ માટેની યોજનાનો અમલ કરવામાં આવશે. આ યોજનાને રાજ્ય સરકારે બ્લોક એસ્ટીમેન્ટ તરીકે સૈદ્ધાંતિક મંજુરી આપી છે, તેમજ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાના એસ્ટીમેન્ટના આધારે નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયાનો આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande