ભોપાલ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં આયોજિત, કિસાન સન્માન
સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રજૂ કરશે. આ રકમ યોજનાનો લાભ મેળવનારા
ખેડૂતોના, બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
જનસંપર્ક અધિકારી ઉમેશ તિવારીએ જણાવ્યું હતું કે,” આજે
સન્માન નિધિ વિતરણ દિવસ પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ
પ્રસંગે મધ્યપ્રદેશમાં જિલ્લા, બ્લોક અને પંચાયત સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમોમાં સાંસદો, ધારાસભ્યો, અન્ય સ્થાનિક
જનપ્રતિનિધિઓ, ખેડૂતો અને
પ્રતિષ્ઠિત નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં
આવશે. આ પ્રસંગે, ગામડાઓમાં
નિયુક્ત કરાયેલા ગામ નોડલ અધિકારીઓ, લાભાર્થીઓને હપ્તા માટે ઇ-કેવાયસી, આધાર અને બેંક
ખાતા લિંકિંગ અને પીએમ કિસાન પોર્ટલ પર સ્ટેટસ જોવા અંગે માહિતી પૂરી પાડશે.
સામાન્ય નાગરિકો https://pmindiawebcast.nic.in
લિંક દ્વારા
વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
હેઠળ, ખેડૂતોને ત્રણ
સમાન હપ્તામાં વાર્ષિક કુલ 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ