ભાવનગર બ્લોકને કારણે વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન, 27 જૂન સુધી દર શુક્રવાર અને રવિવારે પ્રભાવિત થશે
ભાવનગર 27 મે (હિ.સ.) રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 5 કલાક 15 મિનિટનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે ભાવનગર મંડળની વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળની વે
વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી ટ્રેન


ભાવનગર 27 મે (હિ.સ.) રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 5 કલાક 15 મિનિટનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે ભાવનગર મંડળની વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ડેઇલી ટ્રેન (૧૯૧૨૦)ને વેરાવળ સ્ટેશનથી ૧ કલાક ૧૫ મિનિટ રિશેડ્યુલ કરવામા આવી છે. આ ટ્રેનનો નિર્ધારિત સમય સવારે ૭.૩૦ વાગ્યે છે, રિશેડ્યુલને કારણે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી સવારે ૭.૩૦ વાગ્યેને બદલે ૮.૪૫ વાગ્યે ઉપડશે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ ૩૦.૦૫.૨૦૨૫ થી ૨૭.૦૬.૨૦૨૫ સુધી દર શુક્રવાર અને રવિવારે વેરાવળ સ્ટેશનથી ૧ કલાક ૧૫ મિનિટ મોડી ચાલશે.

ઉપરોક્ત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande