બારડોલીમાં ત્રણ વર્ષથી જર્જરિત પાણીની ટાંકી તૂટી, પાલિકાએ સંભવિત દુર્ઘટના ટાળી
સુરત, 3 જૂન (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકી અંતે તોડી પાડવામાં આવી છે. નગરપાલિકા દ્વારા JCB મશીનની મદદથી ટાંકીને સલામત રીતે જમીનદોસ્ત બનાવવામાં આવી. ટાંકીની આસપાસના વિસ્તા
Surat


સુરત, 3 જૂન (હિ.સ.)-સુરત જિલ્લાના બારડોલી નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકી અંતે તોડી પાડવામાં આવી છે. નગરપાલિકા દ્વારા JCB મશીનની મદદથી ટાંકીને સલામત રીતે જમીનદોસ્ત બનાવવામાં આવી.

ટાંકીની આસપાસના વિસ્તારમાં હાલત ખતરનાક બની ગઈ હતી, જેને લઇ સ્થાનિક વાસીઓએ લાંબા સમયથી તંત્રનો ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોનો પ્રશ્ન હતો કે, ટાંકી ત્રણ વર્ષથી જર્જરિત હતી ત્યારે અત્યાર સુધી રાહ કેમ જોવામાં આવી?

ટાંકી તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગરપાલિકા તંત્રે અગાઉથી સલામતીના પગલાં લીધો હતો. ટાંકીની આસપાસના દુકાનદારો અને લારીવાળાઓને હટાવવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર પતરા લગાવી કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

આ પગલાંથી નગરપાલિકા દ્વારા શક્ય દુર્ઘટનાને ટાળવા માટે યોગ્ય સમયસરની કાર્યવાહી કરાઈ હોવાનું લોકો માને છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande