શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ
શનિ જયંતિની ઉજવણી
શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ


શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ


શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ


શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ


શનિ જયંતિના દિવસે ગુંજયો જય શનિદેવનો નાદ


પોરબંદર, 27 મે (હિ.સ.)

આજે શનિ જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરથી 27 કિમી દુર આવેલા હાથલા ગામે શનિદેવનુ જન્મ સ્થાન આવેલુ છે.ત્યાં શનિ જયંતિના દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી શનિદેવના મંદિર ખાતે સવારના સમયે 51 ગજની નૂતન ધ્વજા રોહણ કરવામાં આવ્યુ હતુ ત્યારે આરતી અને વિષેશ પુજા-અર્ચના કરવામા આવી હતી શનિ જયંતિના દિવસે વહેલી સવારથી શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી શનિ કુંડમાં સ્નાન કરી શ્રધ્ધાળુઓએ શનિદેવને તેલ,સિંદુર,તલ,શ્રીફળ સહિતની સામગ્રી અર્પણ કરી અને પુજા-અર્ચના કરી અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી જે રાશીના જાતકોને શનિની પનોતી ચાલે તેમણે શનિદેવની વિષેશ પુજા અર્ચના કરી હતી આજે શનિદેવના જન્મ સ્થાન ખાતે 21 કુંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પોરબંદર સહિત રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાથે આવ્યા હતા શ્રધ્ધાળુઓ માટે ચા-પાણી અને પ્રસાદી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી શનિદેવના જન્મ સ્થાન ખાતે આજે જય શનિદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ સાંજના સમયે સંતવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande