પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આપી ભાવભીની વિદાય
ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી, આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી


ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી, આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય ક્ષમતા, રાષ્ટ્રીય ગૌરવ અને પરાક્રમનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ઓપરેશન સિંદૂર એ માત્ર એક સૈન્ય વિજય નહીં, પરંતુ ભારતની એકતા, અસ્મિતા, વિકાસ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની ગયું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ, આ ઐતિહાસિક વિજયના નાયક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, 'રાષ્ટ્ર મંજૂષા' ગ્રંથની ભેટ આપી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી, સાથે સાથે રાજ્યપાલએ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આરોગ્ય અને રાષ્ટ્રસેવામાં સતત સફળતા માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande