જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે, સને ૨૦૧૬-૧૮ દરમ્યાન એનરોલમેન્ટ થયેલ અને સ્નાતક કક્ષાનાં અનઉતિર્ણ છાત્રો માટે પરીક્ષાની છેલ્લી તક
જૂનાગઢ, 27 મે (હિ.સ.) જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ દરમ્યાન એનરોલમેન્ટ થયેલ અને ઉતિર્ણ ના થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક સેમેસ્ટર વાઈઝ એક જ તક આપવા માટે સ્નાતક કક્ષાનાં સેમેસ્ટર ૦૧ થી ૦૬ની ખાસ પરીક્ષા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે, સને ૨૦૧૬-૧૮ દરમ્યાન એનરોલમેન્ટ થયેલ અને સ્નાતક કક્ષાનાં અનઉતિર્ણ છાત્રો માટે પરીક્ષાની છેલ્લી તક


જૂનાગઢ, 27 મે (હિ.સ.) જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ દરમ્યાન એનરોલમેન્ટ થયેલ અને ઉતિર્ણ ના થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક સેમેસ્ટર વાઈઝ એક જ તક આપવા માટે સ્નાતક કક્ષાનાં સેમેસ્ટર ૦૧ થી ૦૬ની ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે.

ઉક્ત પરિક્ષા સંદર્ભે પરીક્ષા ફોર્મ ઓનલાઇન તારીખ ૨૯-૦૫-૨૦૨૫થી ૧૨-૦૬-૨૦૨૫ સુધી યુનિ.ની વેબસાઇટ www.bknmu.edu.in પરથી કોલેજ દ્વારા ભરી શકાશે. પરીક્ષા ફોર્મ અંગેની વધુ માહિતી યુનિ.ની વેબ સાઇટ પર પરીપત્ર સ્વરૂપે મુકવામાં આવેલ છે. તેમજ ઉપરોક્ત પરીક્ષા અંગેની માહિતી અંગે યુનિવર્સીટીની વેબસાઇટ જોતા રહેવા યુનિ.નાં કાર્યકારી કૂલસચિવ ડો. મયંક સોનીની યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande