જુનાગઢ 27 મે (હિ.સ.) ભારતના ચુંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.
આ ચૂંટણી દરમિયાન સમગ્ર જૂનાગઢ જિલ્લાતમાં તમામ સ્તપરે કાયદો અને વ્યભવસ્થાર જળવાય રહે તેમજ ચુંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં સંપન્નજ થાય તે હેતુથી તાત્કા લિક અસરથી જિલ્લા મેજસ્ટ્રેમટશ્રી અનિલ રાણાવસિયાએ તેમને મળેલ સતાની રૂએ પ્રતિબંધાત્મનક આદેશ જારી કરેલ છે.
જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કોઇપણ ઇસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે લઇને બહાર નિકળવું કે ફરવું નહીં. આ ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુે, લાઠી, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો સાથે લઇ ઘર બહાર નીકળવું ફરવું નહીં.
આ હુકમ ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારીઓ, અધિકારઓ કે જેઓના ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યક્તિને, શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવું જરૂરી હોય તે વ્યક્તિને, બેંકો કે તેઓની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલો હોય તે વ્યક્તિને લાગુ પડશે નહિ.
ઉપર્યુક્ત જોગવાઈઓનો ભંગ કર્યેથી ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૨૨૩ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂપિયા ૨૫૦૦ દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
આ હુકમ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ