ગાંધીનગર, 27 મે (હિ.સ.) : 'ઓપરેશન સિંદૂર'ની ઐતિહાસિક સફળતા બાદ, માતૃભૂમિની પ્રથમ મુલાકાતે પધારેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાજભવન આગમન સમયે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રીને આત્મિયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ