પાટણ, 27 મે (હિ.સ.)સાંતલપુર તાલુકામાં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પીપરાળા સહિત અનેક ગામોમાં વીજળી બંધ રહેતાં સ્થાનિક રહેવાસીઓ તીવ્ર ઉનાળામાં મુશ્કેલી ભોગવી રહ્યા છે. વીજ કાપને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વિજળીના બંધ નીકળવા અંગે સાંતલપુર GEB વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. વીજ કર્મચારીઓની અછતના કારણે રિપેરિંગ કામ પણ સમયસર થતું નથી, જેના પરિણામે વીજ પુરવઠાની અનિયમિતતા યથાવત રહી છે.
આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પરિણામે લોકોમાં તંત્ર સામે રોષ વધી રહ્યો છે અને અવાજ ઉઠી રહ્યો છે કે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર