પાટણની સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉગ્ર બની
પાટણ, 27 મે (હિ.સ.)પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 4માં આવેલી સિદ્ધરાજનગર અને રાજનગર સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આજે સવારે સ્થિતિ વધુ ગંભીર બની હતી જ્યારે ગટરનું પાણી લોકોના ઘરોમાં પ્રવેશી ગયું હતું અને સમગ્ર વ
પાટણની સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉગ્ર બની


પાટણ, 27 મે (હિ.સ.)પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 4માં આવેલી સિદ્ધરાજનગર અને રાજનગર સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આજે સવારે સ્થિતિ વધુ ગંભીર બની હતી જ્યારે ગટરનું પાણી લોકોના ઘરોમાં પ્રવેશી ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. પરિણામે કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગચાળો ફેલાવાની આશંકા ઉભી થઈ છે.

સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ, ભાજપના કોર્પોરેટરો અને વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો રહીશો સાથે નગરપાલિકા ઘેરાવાની કાર્યવાહી કરવામાં આવશે.

ભૂગર્ભ ગટર એજન્સીના કર્મચારી ભાવેશ મોદીના જણાવ્યા અનુસાર અગાઉ ચાર વખત રિપેરિંગ કરવામાં આવી ચૂક્યું છે. તેમનું કહેવું છે કે હાલ ખોદકામ દ્વારા મૂળ સમસ્યા શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કામગીરી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande