વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું
મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન સમિતિ ભારત દેશમાં પહેલી સંસ્થાએ 500 પ્રતિમાનુ લક્ષ્ય રાખ્યું મહારાણા વૈદિક હિન્દુ ધર્મ બચાવવા એકલિંગજી સિવાય કોઈને નમ્યા નથી ધર્મેન્દ્રસિંહ રણા મહારાણા પ્રતાપના 12 સ્મારક 12 જ્યોતિર્લિંગ પર બનાવવામાં આવશે ચંદ્રવીરસિંહ
વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું


વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું


વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું


વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું


વીર શિરોમણી મહારાણા પ્રતાપની 21 મી પ્રતિમાનું અનાવરણ વાલિયા ખાતે કરાયું


મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન સમિતિ ભારત દેશમાં પહેલી સંસ્થાએ 500 પ્રતિમાનુ લક્ષ્ય રાખ્યું

મહારાણા વૈદિક હિન્દુ ધર્મ બચાવવા એકલિંગજી સિવાય કોઈને નમ્યા નથી ધર્મેન્દ્રસિંહ રણા

મહારાણા પ્રતાપના 12 સ્મારક 12 જ્યોતિર્લિંગ પર બનાવવામાં આવશે ચંદ્રવીરસિંહ નમાણા

ભરૂચ 28 મે (હિ.સ.)

માં ભૂમિની રક્ષા કાજે હરહંમેશ સદાય અગ્રેસર રહેનાર મહાન યોદ્ધા સિસોદીયા રાજપૂત કુળના વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીના સુવર્ણ ઈતિહાસને ઉજાગર કરવાના સહેતુ તેમજ નવી પેઢીના માનસપટ પર સ્મરણ રહે એ ઉદ્દેશ્ય સાથે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની 21 મી પ્રતિમાનો ભવ્ય અનાવરણ સમારોહ વાલિયા કમળામાતા તળાવ ખાતે આતશબાજી સાથે યોજાયો હતો.પ્રભાત સહકારી જીન ખાતે અનાવરણ સમારોહના અધ્યક્ષ ચંદ્રવીરસિંહ નમાણા રાષ્ટ્રીય અધ્યક્ષ મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન રહ્યા હતા સાથે ધર્મેન્દ્રસિંહ રણા,તુપ્તીબા રાઓલ મહિલા સંકલન સમિતિ ગુજરાત ,મહારાણી રુકમણીદેવી ગોહિલ રાજપીપળા,યશોરાજસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

ટૂંકો અહેવાલ ધવલ ખેરએ આપતા મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન અંતર્ગત ભારતભરમાં 500 પ્રતિમાઓ સ્થાપિત કરવાના સંકલ્પના ભાગરૂપે વાલિયા ખાતે 21 મી પ્રતિમા સ્થાપિત કરવાનો વિચાર આવ્યો. આ નાનકડો વિચાર એક મોટું અભિયાન ક્યારે બની ગયું .ભૂમિ પૂજનના દિવસે જ 9.40 લાખ જેટલું યોગદાન આ કાર્ય માટે નોંધાયું. તાલુકાના ક્ષત્રિય બહુલ વસ્તી ધરાવતા ગામોમાં બેઠક કરી એમાં 950 જેટલા પરિવારોએ 17 લાખ યોગદાન આપ્યું. મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયાની સફળ કામગીરીનું પરિણામ સ્વરૂપ આજે 21 મી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ થયું .સમારોહમાં તલવાર બાજી પ્રિયંકાબા વશી અને ટીમે તેમજ વાલિયા યુવા ટીમે કરી હતી.આભાર વિધિ સિદ્ધરાજસિંહ કોસાડાએ કરી હતી. આ સમારોહમાં સમાજને જમીન સમાજ માટે 11 લાખનું અનુદાન ભારતસિંહ ભટારાયે અનુદાન જાહેર કર્યું હતું.

અકબરની સામે ઝુકયા નહીં એટલે મહારાણા બન્યા અકબર મહાન હતા તો મહારાણા કોણ હતા? આપણને સાચો ઇતિહાસ જ ભણાવવામાં નથી આવ્યો મહારાણા જન્માવા હશે તો જનનીએ મહાભારત, ગીતાજીના પાઠ ભણવા પડશે માં જયવંતની જેમ તૈયાર કરવા પડશે.ધર્મેન્દ્રસિંહ રણા

500 થી 700 કરોડનો પ્રોજેક્ટ છે આ રૂપિયા સમાજના વિકાસ માટે વપરાય તો ઘણું મોટું કાર્ય થાય પરંતુ તેના માટે સરકાર છે .મહારાણા પ્રતાપના અંતિમ અને જન્મસ્થાન ઉપર ઉંચી પ્રતિમા બનશે .હર ઘર શસ્ત્ર અને શાસ્ત્ર જેમાં ગીતાજી અપાશે. 6 રાજ્યમાં 30 પ્રતીમાં લાગી ગઈ છે અને બીજી 30 જગ્યાએ કાર્યરત છે .શાહરૂખ અને સલમાન હીરો નથી હીરો છે મહારાણા પ્રતાપ .મોદીજીને આ ઇતિહાસ બદલવાની શરૂઆત ગુજરાતથી કરે તેવી માંગ છે .ચંદ્રવીરસિંહ નમાણા

શ્રી એકલિંગજી સિવાય કોઈની ગુલામી નથી કરી .મહારાણા પ્રતાપની ફરજ, નબળો વિચાર નહીં કરવો ,પડકાર ઝીલવો, વફાદારી અને સમર્પણ, મર્યાદા આ બધું એમની પાસેથી શીખવું પડશે .તૃપ્તિબા રાઓલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande