સિદ્ધપુરમાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરાયું
પાટણ, 28 મે (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સિદ્ધપુરના સુજાનપુરમાં આવેલ તિરંગા વિદ્યા સંકુલના પટેલ સંતોકબેન ઈશ્વરલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા
સિદ્ધપુરમાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરાયું


પાટણ, 28 મે (હિ.સ.)સિદ્ધપુર શહેરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સિદ્ધપુરના સુજાનપુરમાં આવેલ તિરંગા વિદ્યા સંકુલના પટેલ સંતોકબેન ઈશ્વરલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રાહત દરે ફૂલ સાઈઝના ઉત્તમ ગુણવત્તા વાળા ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કાકોશી ચાર રસ્તા નજીક આવેલી અક્ષર ગેસની ઓફિસ ખાતેથી રવિવાર સિવાય દરરોજ કોઈપણ વિદ્યાર્થી રાહત દરે ચોપડા લઈ શકે છે તેમ ટ્રસ્ટના વડા દશરથભાઈ પટેલે જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande