પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદરના બોખીરા આવાસની સામે થયેલા મોટાપાયે દબાણો મામલે મનપાએ બુલડોઝર એક્શન શરૂ કરતા દબાણકર્તાઓમાં વધુ એકવાર ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ આજે મનપાએ દબાણ હટાવવાની શરૂ કરતા થોડા કલાકોમાં જ બ્રેક મારી દેતા અનેક તર્કવિર્તકો જોવા મળી રહ્યાં છે.ગાંધીભુમિ પોરબંદરમાં ઠેકઠેકાણે મોટાપાયે જેમ ફાવે તેમ દબાણો જોવા મળી રહ્યાં છે પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે ફરી એકવાર પોરબંદરમાં દાદાનું બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યુ હતુ બોખીરા વિસ્તારમા નોટીસો અને મૌખિક સુચનાઓ આપવા છતાં દબાણો દુર ન થતાં અંતે મનપાએ આજે બુધવાર બુલડોઝર એક્શન ચલાવ્યુ હતુ. પોરબંદરના બોખીરા વિસ્તારમાં સર્વે નંબર 175મા થયેલા 30 વીઘા જમીન પર થયેલા મોટાપાયે દબાણો હટાવવાની કામગીરી સવારેના સમયે કરવામાં આવી હતી મનપાન બે ડેપ્યુટી કમિશ્નર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા મનપાએ બેથીત્રણ દબાણો હટાવ્યા હતા બાદ સ્થાનિક લોકોએ વધુ સમયની માંગ કરી હતી મનપા દબાણ હટાવવાની કામગીરીને બ્રેક લગાવી હતી મનપાના ડેપ્યુટી કમિશ્નર પટલે કહ્યું ટુંક સમય બાકીના દબાણો દુર કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ પરંતુ મનપાએ બાકીના દબાણો ક્યારે દુર કરશે તે ચૌખવટ કરી નહોતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya