ખટોદરામાં કારખાનેદાર સાથે રૂપિયા 8.89 લાખની છેતરપિંડી
સુરત, 29 મે (હિ.સ.)-ઉધના મગદલ્લા રોડ, ચોકસી ડાઈંગ મીલ પાસે, દિવ્યાનંદ સોસાયટીમાં જાબવર્કનું ખાતુ ધરાવતા કારખાનેદાર પાસેથી રિંગ રોડ, આદર્શ-1 માર્કેટન વેપારીએ દલાલ સાથે મળી રૂપિયા 8.89 લાખનું જાબ વર્કનું કામ કરાવ્યા બાદ પેમેન્ટ નહી આપી ઉપરથી કારખાનેદાર
ખટોદરામાં કારખાનેદાર સાથે રૂપિયા 8.89 લાખની છેતરપિંડી


સુરત, 29 મે (હિ.સ.)-ઉધના મગદલ્લા રોડ, ચોકસી ડાઈંગ મીલ પાસે, દિવ્યાનંદ સોસાયટીમાં જાબવર્કનું ખાતુ ધરાવતા કારખાનેદાર પાસેથી રિંગ રોડ, આદર્શ-1 માર્કેટન વેપારીએ દલાલ સાથે મળી રૂપિયા 8.89 લાખનું જાબ વર્કનું કામ કરાવ્યા બાદ પેમેન્ટ નહી આપી ઉપરથી કારખાનેદારે ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કારખાનેદારની ફરિયાદ લઈ વેપારી અને દલાલ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ માટે ચક્રોગતિમાન કર્યા છે.

ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ સીટી લાઈટ, તેરાપંથ રોડ, ક્રીસ એન્કલેવમાં રહેતા 28 વર્ષીય સિદ્વાર્થ મનોજભાઈ અગ્રવાલ ઉધના મગદલ્લા રોડ, ચોકસી ડાંઈગ મીલ પાસે, દિવ્યાનંદ સોસાયટીમાં કારખાનું ધરાવે છે. તેમની પાસે 24 સપ્ટેમ્બર 2022 થી 30 જુન 2024 સુધીમાં રિંગ રોડ, આાદર્શ-1 માર્કેટ માં કનિષ્ઠા ફેબના કર્તાહર્તા લક્ષ્મીકાંત ઉર્ફે રણવીર ઉર્ફે લક્કી બીહાણી (રહે, નેટર વેલી, કુંભારીયા ગામ)એ દલાલ સત્યનારાયણ શ્યામસુંદર શર્મા (રહે, સ્વાગત કોમ્પ્લેક્ષ, પર્વત પાટીયા) મારફતે જાબવર્કનું કામ કરાવ્યું હતું. જેની મંજુરીના બાકી લેવાના નિકળતા રૂપિયા 8,89,936 ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે આપ્યા ન હતા. ઉપરથી લક્ષ્મીકાંત બીહાણી અને દલાલ સત્યનારાયણ શર્માએ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આખરે સિદ્વાર્થી અગ્રવાલે આ મામલે ગતરોજ ખટોદરા પોલીસમાં બંને સામે ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande