પર્યાવરણ બચાવો”ઝૂંબેશ અંતર્ગત, વેરાવળ ખાતે પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ સાથે સંકલન બેઠક યોજાશે
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) “વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત તા.૩૦/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નગરપાલિકા વેરાવળ સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્
પર્યાવરણ બચાવો”ઝૂંબેશ અંતર્ગત, વેરાવળ ખાતે પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ સાથે સંકલન બેઠક યોજાશે


ગીર સોમનાથ 29 મે (હિ.સ.) “વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત તા.૩૦/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે નગરપાલિકા વેરાવળ સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રબુદ્વ નાગરિકો, વેપારીઓ સાથે બેઠક યોજાશે.

આ અંગે ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેની પ્રિ-ઈવેન્ટ તરીકે લોકોમાં જાગૃતિ એવા હેતુસર તા.૨૨ મે થી ૫ જૂન સુધી ગીર સોમનાથ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા હેતુથી જાગૃતિ લાવવા માટે આ બેઠકનું આયોજન થયેલ છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ શહેરની મુખ્ય બજારો તેમજ શાક માર્કેટ ખાતે આગેવાનો, વેપારીઓ પ્રબુદ્ધ નાગરિકો સિનિયર સિટીઝનો સહિતના સંસ્થાના હોદ્દેદારો સાથે કાપડની બેગનું નિ:શુલ્ક વિતરણ કરવા અને જાહેરમાં પ્લાસ્ટિક ન વાપરવા સમૂહ શપથ લેવામાં આવશે.

પ્લાસ્ટિક વાપરવું એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. વહીવટી તંત્રની અપીલના માધ્યમથી અનેક સંસ્થાઓ, વેપારીઓ કાપડની થેલીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.

આ બેઠકમાં વિવિધ સૂચનોને આવકારી પર્યાવરણ પ્રિ-ઇવેન્ટ અંતર્ગત સામાજિક સંસ્થા, વેપારી મંડળો, સિનિયર સિટીઝનો દરેક સમાજના પ્રમુખ, પટેલ અને પ્રેસ મીડિયા સહિત નગરજનોને સહભાગી થવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જાગૃતિ લાવા તંત્ર સાથે સંકલન કરવા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande