મોડાસા, 30 મે (હિ.સ.) મનરેગા યોજના હેઠળ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. ઘણીવાર શ્રમિકોને રોજગારી મેળવવા માટે કે મનરેગામાં અનિયમિતતા બાબતે રજૂઆત કોને કરવી તેની જાણ લોકોને હોતી નથી. આ માટે કેન્દ્ર સરકારની સૂચના અંતર્ગત દરેક જિલ્લાઓમાં લોકપાલને નિમણૂક કરવા બાબતે રાજ્યકક્ષા દ્વારા વિવિધ જિલ્લાઓમાં લોકપાલશ્રીઓની નિમણુક કરવામાં આવી છે. લોકોની રોજગારી મેળવવાની રજૂઆતો કે ફરિયાદો લોકપાલશ્રી સુધી પહોંચે તે માટે સાબરકાંઠા જિલ્લામાં લોકપાલશ્રી તરીકે શ્રી રજનીકાંત બી. સુથારની નિમણુક કરાઈ છે. લોકપાલશ્રીની કચેરીનું સરનામું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી, સાબરકાંઠા-હિંમતનગર, બહુમાળી ભવન બ્લોક સી,મો. નં. 9824979371 તેમજ ઈમેલ આઇડી rajanikantsuthar@gmail.com છે. મનરેગા સંબંધીત ફરિયાદ અને અન્ય બાબતો રજૂઆત કરવા ઈચ્છતા લોકો રૂબરૂ મળી શકશે. તેમજ ફરીયાદ પેટીમાં પોતાની લેખિત ફરીયાદ મૂકી શકે છે. આ સાથે whatsapp ના માધ્યમથી પણ ફરીયાદ મોકલી શકાય છે. એમ અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર એમ.જી. એન. આર. ઈ.જી. એ.સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ