સોમનાથ ખાતે પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ બનશે, યાત્રાધામમાં એકઠાં થતાં કચરામાંથી પેવર બ્લોક બનાવવાની દિશામાં મંથન
ગીર સોમનાથ, 30 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે નાગરિકોને વિવિધ કાર્યક્રમના માધ્યમથી સમજૂત કરવામાં આવી રહ્યાં છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળ
સોમનાથ ખાતે પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ બનશે, યાત્રાધામમાં એકઠાં થતાં કચરામાંથી પેવર બ્લોક બનાવવાની દિશામાં મંથન


ગીર સોમનાથ, 30 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે નાગરિકોને વિવિધ કાર્યક્રમના માધ્યમથી સમજૂત કરવામાં આવી રહ્યાં છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ ધાર્મિક સ્થળની મુલાકાત લેતાં હોય છે. જેથી પ્લાસ્ટિકનો અગણિત કચરો એકઠો થતો હોય છે.

યાત્રાધામમાં પ્લાસ્ટિક રિસાયકલ થાય અને તેનો ફાયદાકારક રીતે ઉપયોગ થાય તે દિશામાં મંથન હેતુસર તેમજ સોમનાથ ખાતે પ્લાસ્ટિક ઇન્ફ્યુઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ સ્થાપવા અંગે ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નક્કી થયા અનુસાર સોમનાથ મંદિર પરિસરમાં પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવરબ્લોક પ્લાન્ટ સ્થાપી અને મંદિર અને આસપાસના પરિસરમાં એકઠાં થતા પ્લાસ્ટિક કચરામાંથી જ પેવરબ્લોક બનાવવામાં આવશે.

આ રીતે પ્લાસ્ટિક કચરાનો રિયૂઝ કરી અને યાત્રાધામને સ્વચ્છ અને સુઘડ તો બનાવવામાં આવશે જ સાથે સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડવામાં આવશે.

આમ, આ પ્લાન્ટ શરૂ થવાથી પ્લાસ્ટિક પ્રદૂષણને નાથી શકાશે અને પ્લાસ્ટિક રિસાયકલ પ્લાન્ટથી યાત્રાધામમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ બાબતે ઉમદા દૃષ્ટાંત પ્રસ્થાપિત થશે.

આ બેઠકમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ.ડી.શ્રી, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande