પોરબંદર, 30 મે (હિ.સ.)
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આગામી 5 જૂનના દિવસે કરવામાં આવશે.જે અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે મુસાફરોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા રાખવાની અપીલ કરવામા આવી હતી.સિંગલ યુથ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે પોરબંદર એસટી વિભાગ દ્વારા એસ. ટી બસોમાં મુસાફરી કરતા લોકોને બસના કંડકટર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરો કચરાપેટીમાં જ નાખવા જાણકારી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya