પાટણ, 30 મે (હિ.સ.)પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 45 વર્ષથી વસવાટ કરતા શીખ સમુદાયે તેમના પાંચમા ધર્મગુરુ શ્રી અર્જુનદેવજીના શહીદ દિવસની ઉજવણી સેવાકાર્ય દ્વારા કરી. શ્રી અર્જુનદેવજીએ 400 વર્ષ પહેલા હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે મોગલો સામે લડીને શહીદી વહોરી હતી.
આ સંદર્ભે ચાણસ્મા હાઈવે માર્ગ પર શીખ પરિવારો દ્વારા વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત વાહનચાલકો, રાહદારીઓ તથા હાઈવે વિસ્તારમાં વસતા પરિવારોને દૂધની લસ્સી, સરબત અને વધારેલા ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.
આ સેવાકાર્યને સફળ બનાવવા પ્રતાપસિંહ જશવંતસિંહ, જોરાવરસિંહ પ્રતાપસિંહ, નૈમસિંહ પ્રતાપસિંહ અને મેહરૂસિંહ પ્રતાપસિંહે મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં લોકોએ આ પ્રસાદનો લાભ લઈ શહીદ ગુરુ અર્જુનદેવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર